Friday, November 20, 2009

એક તાજ્જા ફૂલ જેવા સમાચારમારા નિવાસ સ્થાને મારા પિતાશ્રીએ જાતે એક શબ્દ ચિત્ર કલાભવનની સ્થાપના કરેલ છે, જ્યાં ૧૦૦ ઉપરાંત શબ્દ ચિત્રોનું પ્રદર્શન કાયમને માટૅ ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. લગભગ ૫૦ લાખ લોકોએ આ કલાભવનની મુલાકાત લીધી છે. આ શબ્દચિત્ર કલાભવનને એક જોવા લાયક સ્થળ તરીકે વિકસાવવા માંગુ છું, જેથી ભાવિ પેઢીને વરસો સુધી આ કલાને નીહાળવાનો મોકો મળે. આ કલાભવન બનાવવા અને વખતો વખત સહિત્યિક, સાંગીતિક, સાંસ્ક્રૂતિક પ્રવ્રુત્તીઓ કરવા અને લલિત કલાઓને જિવંત રાખવા તાજેતરમાં "જીવન-કલા ફાઉન્ડેશન" નામે એક ટ્રસ્ટ્ની સ્થાપના કરી છે.કલા એ ઈશ્વર તરફથી માનવીને મળેલી ઉત્તમોત્તમ ભેટ છે, બક્ષીશ છે. અને કલાને જીવંત રાખવી એ મારી - તમારી- આપણા સૌની જવાબદારી છે.જીવનકલા ફાઉન્ડેશન, રાજકોટ સાર્વજનીક ટ્ર્સ્ટ ૧૯૫૦ના મુંબઈ સાર્વજનીક ટ્ર્સ્ટોને બાબત(સન ૧૯૫૦ના મુંબઈના ૨૯મા) અધિનિયમ અન્વયે રાજકોટખાતેનીસાર્વજનીક ટ્ર્સ્ટ નોંધણીની કચેરીમાં યોગ્ય રીતે આ ટ્ર્સ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. જેના રજીસ્ટ્રેશન નં ઈ/૮૭૨૫ છે.જીવનકલા ફાઉન્ડેશન, રાજકોટના હેતુઓ આપની સમક્ષ મૂક્તા અત્યંત આનંદ થાય છે.બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટૅ, તેમને શીક્ષણ, કેળવણી, તાલીમ આપવા વર્કશોપ, પ્રયોગશાળા, બાળ વિકાસ કેન્દ્રો,તેમજ એવી જરૂરી તમામ પ્રકારની સંસ્થા કે સંસ્થાઓ શરૂ કરી શકશે, ચલાવી શકશે, નિભાવી શકશે.બાળકો માટૅ ગુજરાતમાં પ્રથમ વખત શબ્દ ચિત્ર કલાભવનના બિલ્ડીંગની સ્થાપના કરી બાળકોને ઉત્તમ કેળવણી મળે તેવા પ્રયાસો હાથ ધરી શકશે.તમામ પ્રકારની સાહિત્ય પ્રવુત્તીઓ કરી લોકોના રસ રુચિને સાહિત્યના વિભિન્ન અંગો પ્રતિ પ્રોત્સાહિત કરી શકશે.આ માટૅ પરિસંવાદો, પરિષદો, જ્ઞાનસત્રો, કાવ્યપઠન બેઠકો, જ્ઞાન શિબિરો આદિનું આયોજન કરી શકશે.નફો પ્રાપ્ત કરવાના હેતુઓ સિવાય સાહિત્યિક પ્રકાશન, મુદ્રણ અને વિતરણ કરી શકશે.પુસ્તકાલયો, વાંચનાલયો અને ઉત્તમ સાહિત્યિક ક્રુતિઓના અનુવાદો લોકોને પ્રાપ્ત થતા રહે તે માટે પ્રકાશનાલયો તેમજ વિવિધ પ્રકારના સામયિકો શરુ કરી શકશે.વિવિધ કલા જેવી કે સંગીત સાહિત્ય ચિત્ર ફોટોગ્રાફી આદિ કલાના કોઈપણ ક્ષેત્રે ઉત્ક્રુષ્ઠ કાર્ય કરનારની કદર કરવાએવોર્ડ્ઝ, પારિતોષિકો,સ્મ્રુતિચિહ્નો શિષ્ય્વ્રુત્તીઓ, ફેલોશીપ આદિ આપી શકશે.આ સંસ્થાને તન - મન - ધનથી મદદ કરવા નીચેના સરનામે સંપર્ક કરવોમેનેજિંગ ટ્રસ્ટી - મધુકન્ત જોષી ( પ્રખ્યાત બાળ સાહિત્યકાર - શબ્દચિત્રકાર)પ્રમુખ - ચંદ્રીકાબેન મધુકાન્ત જોષીટ્રસ્ટી - જિગર મધુકાન્ત જોષીમેનેજિંગ ટ્રસ્ટી,જીવનકલા ફાઉન્ડેશન, રાજકોટc/o મધુકાન્ત જોષી,૫૯/ગંગોત્રી પાર્ક, યુની. રોડ, રાજકોટ ૩૬૦૦૦૫ફોન ૦૨૮૧-૨૫૮૪૧૬૦મોઃ ૯૯૨૫૧૫૭૪૭૫